દિલ્હીમાં હનુમાન જયંતિની શોભાયાત્રા પર પથ્થરમારો, અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ, તોફાની ટોળાએ વાહનોમાં તોડફોડ કરી

દિલ્હીના જહાંગીર પુરી વિસ્તારમાં હનુમાન જયંતિ નિમિત્તે નીકાળવામાં આવેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે. જે બાદ બે જૂથો સામસામે આવી જતાં સ્થિતિ તંગ બની હતી. તોફાની તત્ત્વોએ પથ્થરમારો કરવા સાથે જ ગાડીઓમાં તોડફોડ કરી છે. જેમાં અનેક પોલીસ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થતા તેઓને બાબૂ જગજીવનરામ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

હાલ તો સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિને જોતા પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સિવાય તોફાનીઓની ઓળખ કરવા માટે પોલીસ સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે.

આ અંગે પોલીસનું કહેવું છે કે, જહાંગીરપુરી વિસ્તારના કુશલ સિનેમા નજીક શોભાયાત્રામાં લોકો ઉપર પથ્થરમારો થયો હતો. જે બાદ તોફાની ટોળાએ બે વાહનો અને એક દુકાનને આગના હવાલે કરી દીધી હતી. હાલ તો સ્થિતિ કાબૂમાં છે અને પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં પણ રામનવમીના પર્વ પર શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ગુજરાતમાં પથ્થરમારા બાદ ફાટી નીકળેલી હિંસામાં 1 શખ્સનું મોત નીપજ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો