અમારૂ ગુજરાત વાહગુજરાત

ગુજરાતી સાયબર વિસામો

શું શ્રી નરેન્દ્ર મોદીએ ‘સમય’ની ચાલ બદલી નાંખી છે?

sahara_samay
હા શ્રી નરેન્દ્ર મોદીએ ‘સમય’ની ચાલ બદલી નાંખી છે.
હું ‘સમય’ ચેનલની વાત કરી રહ્યો છું. ગઈકાલે મેં ‘સમય’ ચેનલ પર ‘મોદીની માયા’ નામના સમાચારના કાર્યક્રમમાં શ્રી નરેન્દ્ર મોદીની પ્રશંશા સાંભળી. મને ગુજરાતની છેલ્લી વિધાનસભાની ચૂંટણી યાદ આવી ગઈ. આ ચૂંટણી પહેલાં કેટલીક ચેનલની જેમ ‘સમય’ચેનલે પણ મોદી વિરુદ્ધ જાણે કે ઝુંબેશ આદરી હતી. લોકશાહીમાં દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે. સમાચાર માધ્યમો સાચા સમાચાર આપવાની જવાબદારી નિભાવવા માટે કોઈપણ નેતાની કે સરકારની ટીકા કરી શકે છે. પણ એમાં ઈમાનદારી અને તટસ્થતા હોવી જોઈએ. જે આ ચેનલમાં તે વખતે પ્રચારિત થતા સમાચારોમાં જણાતી નહોતી. કોઈ સામાન્ય માણસ મોદી વિરુદ્ધ બોલે તો એ બાબતને જોરશોરથી રજૂ કરવાનાં અને કોઈ જો તરફેણમાં બોલવા માંગતો હોય તો એની વાત કાપી નાંખવાનાં અવનવાં ગતકડાં ચોખ્ખાં જણાઈ આવતાં હતાં. આવી ચેનલ પરથી ઘણાંખરાં લોકોનો વિશ્વાસ ઊઠી ગયો હતો. આનાં પરિણામે ક્યારેક ચેનલ મોદીની વાજબી ટીકા કરે તો પણ એની અસર થતી નહોતી. હદ તો શપથવિધિ વખતે થઈ. એક કલાકાર લોકગીત ગાતો હતો પણ આ ચેનલના બિનગુજરાતી રીપોર્ટરને લાગ્યું કે આ તો મોદીસાહેબના ગુણગાનનું ગીત છે. એણે કહી દીધું કે “યહાં મોદી કે કસીદે પઢે જા રહે હૈં.”

આ જ ચેનલને હવે મોદીના કસીદા પઢવાનો વારો આવ્યો. ખરેખર તો આજે પણ એણે મોદી કે સરકારની વાજબી પ્રશંસા કે ટીકા કરવાની જવાબદારી નિભાવવી જોઈએ. એક તરફ પ્રશંશા કરવી અને બીજી તરફ ‘મોદી કી માયા’ જેવું મથાળુ રાખવું. એનો અર્થ એ થયો કે હજી પણ પોતાની તંગડી ઊંચી રાખવી છે.

તો એમની ભાષામાં એવું કહી શકાય કે મોદીની માયાના કારણે ‘સમય’ની ચાલ બદલાઈ ગઈ.



વડોદરાથી યશવંત ઠક્કર
http://asaryc.wordpress.com/about/

Information

This entry was posted on એપ્રિલ 5, 2009 by in વાહસમાચાર and tagged .

સંશોધક

Gujarat host IPL narendra modi અમદાવાદ અમીતાભ બચ્ચન આઇપીએલ આતંકવાદ આધુનિક શાસન આર.આર.શેઠ કાઠિયાવાડ કીર્તિ સ્તંભ કોંગ્રેસ કોપીરાઇટ એકટ ક્રિકેટ ગાંધી સાહિત્ય ગિજુભાઇ ગુજરાત ગુજરાતી ચોમાસુ ચોરવાડ જમાઈ જિનાલય જૈન દેરાસર જૈનપુરી ઝવેરચંદ મેઘાણી ડાબેરી પક્ષો દુઘર્ટના નરેન્દ્ર મોદી પાષાણ કળા પ્રતિમા પ્રતિષ્ઠા પ્રવીણ પ્રકાશન પ્રસાર પ્રાદેશિક પક્ષો પ્રિટી ઝિન્ટા ફિનિકસ પંખી બાળસાહિત્ય ભગવતગૌમંડલ ભાંડારકર ઇન્સ્ટિટયુટ મતદાન મતાધિકાર મહાભારત મહાવીર ભગવાન મિચ્છામિ દુક્કડમ મિસ્ત્રી મુદ્રા પ્રકાશન મોદી રમેશ પારેખ રાજકારણી રાજનગર રાષ્ટ્રીય હિત રાહુલ ગાંધી રિવોલ્યુશનરી લોકપરિષદ લોકમત લોકમિલાપ લોકશાહી વરસાદ વાહગુજરાત વાહસમાચાર વિચાર વિદ્વત્તાપૂર્ણ વિષાદ વેવાઈ શિક્ષણ શ્રી શાન્તિસાગર સૂરિજી સખળ ડખળ સત્યના પ્રયોગો સત્યાગ્રહનો ઇતિહાસ સમાચાર2 સહારા સમય સૌરાષ્ટ્ર સ્લમડોગ હઠીસિંહ હૈદરાબાદ

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 14 other subscribers

મુલાકાતીઓ

  • 33,997 hits

તાજેતરની પોસ્ટ્સ