હા શ્રી નરેન્દ્ર મોદીએ ‘સમય’ની ચાલ બદલી નાંખી છે.
હું ‘સમય’ ચેનલની વાત કરી રહ્યો છું. ગઈકાલે મેં ‘સમય’ ચેનલ પર ‘મોદીની માયા’ નામના સમાચારના કાર્યક્રમમાં શ્રી નરેન્દ્ર મોદીની પ્રશંશા સાંભળી. મને ગુજરાતની છેલ્લી વિધાનસભાની ચૂંટણી યાદ આવી ગઈ. આ ચૂંટણી પહેલાં કેટલીક ચેનલની જેમ ‘સમય’ચેનલે પણ મોદી વિરુદ્ધ જાણે કે ઝુંબેશ આદરી હતી. લોકશાહીમાં દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર છે. સમાચાર માધ્યમો સાચા સમાચાર આપવાની જવાબદારી નિભાવવા માટે કોઈપણ નેતાની કે સરકારની ટીકા કરી શકે છે. પણ એમાં ઈમાનદારી અને તટસ્થતા હોવી જોઈએ. જે આ ચેનલમાં તે વખતે પ્રચારિત થતા સમાચારોમાં જણાતી નહોતી. કોઈ સામાન્ય માણસ મોદી વિરુદ્ધ બોલે તો એ બાબતને જોરશોરથી રજૂ કરવાનાં અને કોઈ જો તરફેણમાં બોલવા માંગતો હોય તો એની વાત કાપી નાંખવાનાં અવનવાં ગતકડાં ચોખ્ખાં જણાઈ આવતાં હતાં. આવી ચેનલ પરથી ઘણાંખરાં લોકોનો વિશ્વાસ ઊઠી ગયો હતો. આનાં પરિણામે ક્યારેક ચેનલ મોદીની વાજબી ટીકા કરે તો પણ એની અસર થતી નહોતી. હદ તો શપથવિધિ વખતે થઈ. એક કલાકાર લોકગીત ગાતો હતો પણ આ ચેનલના બિનગુજરાતી રીપોર્ટરને લાગ્યું કે આ તો મોદીસાહેબના ગુણગાનનું ગીત છે. એણે કહી દીધું કે “યહાં મોદી કે કસીદે પઢે જા રહે હૈં.”
આ જ ચેનલને હવે મોદીના કસીદા પઢવાનો વારો આવ્યો. ખરેખર તો આજે પણ એણે મોદી કે સરકારની વાજબી પ્રશંસા કે ટીકા કરવાની જવાબદારી નિભાવવી જોઈએ. એક તરફ પ્રશંશા કરવી અને બીજી તરફ ‘મોદી કી માયા’ જેવું મથાળુ રાખવું. એનો અર્થ એ થયો કે હજી પણ પોતાની તંગડી ઊંચી રાખવી છે.
તો એમની ભાષામાં એવું કહી શકાય કે મોદીની માયાના કારણે ‘સમય’ની ચાલ બદલાઈ ગઈ.
વડોદરાથી યશવંત ઠક્કર
http://asaryc.wordpress.com/about/
લોકમુખે